માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જીઆઇડીસીમાંથી દારૂની ૨૪ બોટલ સાથે ત્રણ પકડાયા


SHARE











મોરબીના જીઆઇડીસીમાંથી દારૂની ૨૪ બોટલ સાથે ત્રણ પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના સનાળા રોડ જીઆઇડીસી નજીકથી બાતમીના આધારે ૨૪ બોટલ દારૂ સાથે ત્રણને પકડી પાડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ દારૂ તેમજ જુગારની બદીને ડામવા અને કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા અને સ્ટાફ દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય મોરબી સીટી એ ડીવીઝન સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે બાતમી મળેલ કે શનાળા રોડ જી.આઇ.ડી.સી.માં એસઆર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઇસમો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા સ્થળ ઉપરથી પાર્થભાઇ ગૌતમભાઇ મહેતા રહે.મોરબી શકતશનાળા પી.જી.વી.સી.એલ કોલોની સામે, મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી રહે.મોરબી નાનીવાવડી અને ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ મારૂતીનગર -૧ મુળ રહે.તારાણા મોરાણા ઇગ્લીશદારૂની ૨૪ બોટલો કિંમત રૂા.૧૦,૫૦૦ સાથે મળી આવતા ગુન્હો દાખલ કરી લોકઅપ હવાલે કરવામા આવેલ છે.અને દારૂ કેસમા રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટીનું નામ ખુલતા તેનીસામે પણ ગુનો નોંધીને તેને પકડવા તજવીજ ચાલુ કરેલ છે.રેડની કામગીરી પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News