મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે

"નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા માટે મોરબી ખાતે તા. ૧૨ ના રોજ તદન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફક્ત ૧૫ સેકન્ડમાં જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવશે અને તે પણ ફ્રીમાં કરી આપવામાં આવશે જેથી કરીને આયોજકો દ્વારા દરેક મા બાપેને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે સાથો સાથ અગાઉ ઓપરેશન કરાવેલ બાળકોની તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરી આપવામાં આવશે

આ કેમ્પમાં ચેક કરવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને ચેક કરવામાં આવશે જેથી કરીને તા ૧૨ ના રોજ સવારે ૯ થી ૧ સુધી ડો.પ્રેયસ પંડ્યા શિવમ હોસ્પિટલ રામચોક મોરબી ખાતે હાજર રહેવાનુ રહેશે ત્યારે માત્ર ૧૫ સેકન્ડમા ટેસ્ટ કરવાથી ખબર પડી જશે કે બહેરાશ છે કે નહીં અને આ કેમ્પનો લાભ લેવા માટે ૮૪૬૦૮ ૪૩૭૧૫ અને ૮૦૦૦૨ ૪૦૯૦૨ ઉપર નામ નોંધાવી શકાશે આ ઉપરાંત જે બાળકોના કોક્લિયર ઈંપ્લાન્ટ ઓપરેશન થઈ ગયા છે તેને કોઈ પણ તકલીફ હોય, મશીન માટે કોઈ પણ તકલીફ હોય સ્પીચ થેરાપીની કોઈ પણ તકલીફ હોય તો ડો.મેડમ સુરી ગાંધીનગરથી આવશે અને આપને મળશે તેઓએ ૧૦૦૦ થી વધુ કોક્લિયર ઓપરેશનો કરેલ છે અને ગુજરાત સરકારના ન્યૂડલ ઓફિસર છે માટે ઓપરેશન કરાવેલ બાળકોના મા બાપની મૂંઝવણ પણ આ કેમ્પમાં દૂર કરવા આવશે તેવું ચંદ્રકાન્ત દફતરી (૯૮૨૫૨ ૨૩૧૯૮) અને ડો.પ્રેયસ પંડયાએ જણાવ્યુ છે






Latest News