મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આરસએસ દ્રારા કિશોરી પ્રશિક્ષણ અંતર્ગત લવ જેહાદ સહીતના વિષયોનું જ્ઞાન અપાયુ


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આરસએસ દ્રારા કિશોરી પ્રશિક્ષણ અંતર્ગત લવ જેહાદ સહીતના વિષયોનું જ્ઞાન અપાયુ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આરએસએસનો કિશોરી પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓને તાજેતરમાં બની રહેલ બાબતો અંગે સજાગ રહેવા માટે અને ભય સ્થાનો બતાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંત કુટુંબ પ્રબોધન સંયોજક, નિવૃત્ત આચાર્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટી- જૂનાગઢ એવા કુમનભાઈ ખૂંટે માર્ગદર્શન આપ્યુ હતુ.

મોરબીની નીલકંઠ સ્કૂલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં કુમનભાઈ ખૂંટ દ્વારા ધો.૮,૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓને સ્વસલામતી, લવજેહાદ, ગેરમાર્ગે જતી કેવી રીતે અટકવવી, કુટુંબ અને સમાજમાં કેવું વર્તન કરવું, જાતીય શોષણ સામે કેવી રીતે અવાજ ઉઠાવવો વિગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત અન્ય મહેમાનોમાં ભીમજીભાઈ અઘારા (આરએસએસ,મોરબી જિલ્લા કુટુંબ પ્રબોધન), જયસુખભાઇ પરમાર (સમાજ સેવક, આરએસએસ અગ્રણી), મગનભાઈ રાઠોડ (આરએસએસ અગ્રણી) વિગેરેનો નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉકાળા વિતરણ

મોરબીના ત્રિલોકધામ મંદિર ખાતે તાજેતરની મિશ્રઋતુને લઈને ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વે નગરજનોને જણાવવા આવેલ છે કે, બે ઋતુના મિશ્રણ સમયે આરોગ્યમાં શરદી-ઉધરસ, ગળામાં તકલીફ વિગેરે રહેતુ હોય તે દુખાવામાં રાહત માટે તા.૧-૩ થી તા.૫-૩ સવારે ૯ થી ૧૦ અહીંના ત્રિલોક ધામ મંદિર, કુબેરનગર ,નવલખી રોડ મોરબી-૧ ખાતે ઉકાળા વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા સર્વેને અપીલ કરવામાં આવે છે.






Latest News