મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા ગ્રામસભાઓનું આયોજન


SHARE















મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા ગ્રામસભાઓનું આયોજન

કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા સારુ કોવીડ વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક ગ્રામજનોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવા માટે આગામી તા.૧૩/૯ થી તા.૨૪/૯ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવેલ છે.

આ ગ્રામસભાઓમાં સો ટકા અસરકારક વેક્સિનેશન થાય તેવું સુનિશ્ચિત કરવા તેમજ ૧૫ માં નાણાપંચ અંતર્ગત સોલાર રૂફટોપની મંજૂરી આપવા, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કામોના આગોતરાં ભૌતિક અને નાણાંકીય આયોજન અને કામો ના ઠરાવ પસાર કરી બજેટ મંજુર કરવા, સ્વચ્છ ભારત મિશન(ગ્રા.) ફેઝ-૨ હેઠળ ૧૦૦ દિવસના ઝુંબેશ અંતર્ગત વોટર ગ્રેવોટર મેનેજમેન્ટ અર્થે વ્યક્તિગત/ સામૂહિક રેટ્રોફીટીગની કામગીરી, શૌચાલય ન હોય ત્યાં શૌચાલયની કામગીરી ના ગ્રામસભામાં ઠરાવ પસાર કરવા તેમજ સરકારશ્રીની યોજનાકીય કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા જેવી કામગીરી થશે આ ગ્રામ સભાઓને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને જે તે નિયત તારીખ અને સમયે ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ અને જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આદેશો કરવામાં આવ્યા છે

દાડમના પાક અંગે માર્ગદર્શન અપાયું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો ના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના રણમલપુર ગામે  તા.૦૮/૦૯ ના રોજ દાડમના પાક  ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના  વૈજ્ઞાનિક ડો. વરું તથા ડીસા કેન્દ્રના  ડૉ.પાવર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ સરડવાએ ખેડૂતોને દાડમના પાકના મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News