મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પંજાબ વિધાનસભા ચુટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક


SHARE













મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પંજાબ વિધાનસભા ચુટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચુટણીઑમાં પંજાબ રાજ્યમાં યોજનારી ચુટણીમાં રાષ્ટ્રીય ભાજપ તરફથી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને મોટી જવાબદારી આપતા ચુનાવ સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, પંજાબ માટે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રભારી તથા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલા, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રિય વિદેશ મંત્રાલય અને સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસદ વિનોદભાઇ ચાવડાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે

સાંસદ ચાવડાએ જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય ભારતીય જાનતા પાર્ટી એ મારામાં વિશ્વાસ મૂકી મને પંજાબ વિધાનસભા ચુટણી આયોજનમાં સહ પ્રભારી તરીકે જવાબદારી સોપી છે હૂઁ સંપૂર્ણ પણે ખંત વિશ્વાસ સાથે પ્રભારી તથા સહ પ્રભારીઑ સાથે સંકલન રાખી જવાબદારી પૂર્ણ કરીશ પંજાબમાં ભાજપને જલવંત જીત મળેના મારા પ્રયતન રહેશે. હાલમાં હું સાંસદ તરીકે કચ્છ મોરબીની જનતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત જાગૃત રહું છુ સાથે  સાથે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવું છુ, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાજી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલજીએ મારામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરવા પ્રતિબધ્ધ છુ તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News