ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી માધાપરવાડી કન્યા શાળા વિઝીટ કરતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઑ


SHARE











મોરબી માધાપરવાડી કન્યા શાળા વિઝીટ કરતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઑ

શિક્ષણએ વિશાળ દરીયા સમાન છે, શિક્ષણમાં જેટલું શીખીએ તેટલું ઓછું પડે છે, શિક્ષણમાં આદન પ્રદાનની પ્રક્રિયાથી ઘણું બધું શીખી શકાય છે, જાણી શકાય છે, એ અન્વયે ઓમ વિદ્યાવાસીની બી.એડ કોલેજ અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતા  તાલીમાર્થીઓએ મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લીધી હતી અને કોલેજના તમામ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ બધા તાલીમાર્થી શાળામાં પહોંચતા શાળાના આચાર્ય દિનેશભાઈ ડી. વડસોલાએ સહિત તમામ શિક્ષક બહેનો અને ભાઈઓએ તમામ તાલીમાર્થી અને ભવિષ્યના શિક્ષકોને ઉષ્માભેર આવકાર્યા હતા અને તાલીમાર્થીઓને અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓ સમજાવી હતી. બાળક સાથે બાળક બનીને શિક્ષણકાર્ય કરાવવું જોઈએ,પાઠ કે એકમ સમજાવતી વખતે વિષયવસ્તુ,વિષય નિરુપણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, વિષય પ્રવેશ,વિષયની સમજ શૈક્ષણિક સાધનોની મદદથી આપવી જોઈએ, ટી.એલ.એમ. નો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર દ્રઢીકરણ,પુનરાવર્તન, સ્વાધ્યાય કાર્ય,નિદાન,ઉપચાર કરી વિદ્યાર્થીઓને કઠિન લાગતા મુદ્દાઓની સમજ વિકસાવવી જોઈએ, વેગેર બાબતોની સમજ આપી હતી અને જ્ઞાનકુંજ, આઈસીટી લેબ, સર્વ શિક્ષા અભિયાન,પ્રજ્ઞા અભિગમ, વિદ્યાર્થીઓને મળતા લાભો, એમ.ડી.એમ. શિષ્યવૃતિ ઓનલાઈન શિક્ષણ, જી.શાળા એપ માઈક્રોસોફ્ટ ટીમ્સ વગેરે વિશે વિસ્તૃત માહિતી દિનેશભાઈ વડસોલા અને જયેશભાઈ અગ્રાવતે આપી હતી






Latest News