મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ રોટલો બનાવવા માટે કહ્યું જે ન બનાવતા ઠપકો આપ્યાનું લાગી આવતા પત્નીએ મોતની સોડ તાણી..!


SHARE











મોરબીમાં પતિએ રોટલો બનાવવા માટે કહ્યું જે ન બનાવતા ઠપકો આપ્યાનું લાગી આવતા પત્નીએ મોતની સોડ તાણી..!

મોરબી તાલુકાના જેતપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર ગામની સીમમાં મહિપતભાઈ બચુભાઈ કંડિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા કૈલાશભાઈ ધાણકના પત્ની કુલળીબેન ધાણક જાતે આદિવાસી (૩૫) વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જોઈ તપાસીને પરણીતાને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એફ.આઇ. સુમરા ચલાવી રહ્યા છે વધુમાં મૃતકના પતિએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તેની પત્નીને રોટલો બનાવવા માટે કહ્યું હતું જે બનાવ્યો ન હતો જે બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેની પત્નીએ આપઘાત કરી લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, મહિલાનો લગ્નગાળો નવ વર્ષનો છે અને તેને ચાર સંતાન છે જેને માતાની છત્રછાયા ગુમાવી છે.

જુગારી પકડાયા
વાંકાનેરના ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રમેશભાઈ તેજાભાઈ ગોરીયા (૫૪), છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા (૫૯), અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઇ મકરાણી (૭૦) અને અરજણભાઈ પેથાભાઈ કરોતરા (૫૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News