તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે ઝેરી દવા પીને મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરના માટેલ ગામે ઝેરી દવા પીને મહિલાએ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી મહિલાએ તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના ડેડ બોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાગૃતિબેન અશ્વિનભાઇ સરાવાડીયા (૩૮) નામની મહિલાએ તેની ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આપઘાતનો પ્રયાસ
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામેના ભાગમાં આવેલ યદુનંદન પાર્ક લક્ષ્મી સોસાયટીમાં રહેતા કુશ ધર્મેન્દ્રભાઈ હડિયાળ (૨૫) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આપઘાતના પ્રયાસના આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એસપી રોડ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતા કિશન મુળુભાઈ ડાંગર (૩૦) નામના યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News