મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !


SHARE











મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !

મોરબીના ધરમપુર અને ટીંબડી આસપાસના વિસ્તારમાં ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ધરમપુર તેમજ ટીંબડી ગામ પાસેથી ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતાં હોય છે અને તેમાંથી પથ્થર નીચે પડતાં હોય છે જે ઘણી વખત બાઇક ચાલક કે પછી અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી હતી અને ગામ પાસે ડમ્પરોને રોકીને ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને ગામના સરપંચને જાણ કરાતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો જો કે, ડમ્પર ચાલકોએ ઢોળાયેલા પથ્થરો દુર કરી દેવાતાની તેમજ હવે ઓવરલોડ ખનીજ નહીં ભરવાની ખાતરી આપી હતી જેથી કરીને મામલો થાળે પડ્યો હતો જો કે, સવાલ એ ઉભો થાય છે કે, ગામના લોકો વિરોધ કરે તો પણ ડમ્પર ચાલકો સીધા થઈ જાય છે તો તંત્ર વાહકો કેમ મૌન રાખીને બેઠા છે તે સૌથી મોટો સવાલ છે






Latest News