મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !


SHARE











મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !

મોરબીના ધરમપુર અને ટીંબડી આસપાસના વિસ્તારમાં ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ધરમપુર તેમજ ટીંબડી ગામ પાસેથી ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતાં હોય છે અને તેમાંથી પથ્થર નીચે પડતાં હોય છે જે ઘણી વખત બાઇક ચાલક કે પછી અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી હતી અને ગામ પાસે ડમ્પરોને રોકીને ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને ગામના સરપંચને જાણ કરાતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો જો કે, ડમ્પર ચાલકોએ ઢોળાયેલા પથ્થરો દુર કરી દેવાતાની તેમજ હવે ઓવરલોડ ખનીજ નહીં ભરવાની ખાતરી આપી હતી જેથી કરીને મામલો થાળે પડ્યો હતો જો કે, સવાલ એ ઉભો થાય છે કે, ગામના લોકો વિરોધ કરે તો પણ ડમ્પર ચાલકો સીધા થઈ જાય છે તો તંત્ર વાહકો કેમ મૌન રાખીને બેઠા છે તે સૌથી મોટો સવાલ છે






Latest News