વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજીનો શનિવારે હુકમ


SHARE











મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજીનો શનિવારે હુકમ

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જેની સામે મોરબીની કોર્ટમાં ચાર્જસીટ પણ મુકાઈ ગયું છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીના સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન મેળવવા માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલો દ્વારા ગુરૂવારે દલીલો કરવામાં આવી હતી અને હવે આગામી તા ૪ ના રોજ હુકમ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ સંભાળતી એજન્સીના કુલ મળીને જયસુખભાઇ પટેલ સહિતના ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાંથી નવ આરોપીઓને પહેલા પકડવામાં આવ્યા હતા તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭) નો સમાવશે થાય છે

મોરબીની કોર્ટમાં ચાર્જસીટ મુકાઈ ગયુ છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ દ્વારા મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવી હતી જેથી કરીને સરકારી વકીલ એસ.કે. વોરા અને આરોપીઓના જુદાજુદા વકીલો દ્વારા મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી જેમાં આરોપીઓના વકીલો દ્વારા પોતાની વ્યક્તિગત કોઈ જવાબદારી નથી તેવું કહેવામા આવી રહ્યું હતું ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, આ ગુનામાં બધાની સરખી જ બેદરકારી છે એટલા જ માટે આ દુર્ઘટના બની છે તેવું કહેવામા આવ્યું હતુ જેથી બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ આગામી તા ૪ ના રોજ કોર્ટ જમીન અરજી માટેનો હુકમ કરશે તેવો આદેશ કરવામાં આવેલ છે હાલમાં જે આરોપીની જમીન માટેની અરજીઓ મૂકવામાં આવી છે તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે






Latest News