તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત


SHARE











મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત

મોરબીના પંચાસર ગામે વાડીએ રાઇન મજૂરી કામ કરતી મહિલાને તેના પતિએ ઠપકો આપ્યો હતો જેથી કરીને ઓરડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને પરણીતાએ આપઘાત કર્યો છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક પરણીતાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં દિલુભા દાદુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદયપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણકી ગામના રહેવાસી નમલેશભાઈ દેવજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૪૪) ના પત્ની ખારવીબેન નમલેશભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૪) એ વાડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાના પતિ પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, મૃતક મહિલા તેના પતિ સાથે વતનમાં સાઢુભાઈના લગ્નમાં ગયેલ ત્યારે લગ્નમાં જવાના બદલે મૃતક મહિલા તેના પિયરમાં જતી રહેલ હતી જે બાબતે મૃતક મહિલાના પતિએ તેને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેણે પંચાસર ગામે આવેલ વાડી ખાતે બધા રાત્રિના સમયે સૂતા હતા ત્યારે મનોમન લાગી આવતા ઓરડીની બાજુમાં આવેલ કુવાના પાણીમાં પડીને પોતાની જાતે આત્મહત્યા કરી લીધેલ છે






Latest News