તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી અને આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કરનારા આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગ


SHARE











મોરબી એબીવીપી અને આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કરનારા આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગ

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું સરકારે આયોજન કર્યું હતું જો કે, પેપર લીક થઈ જવાથી તેને તાત્કાલિક અસરથી પરિક્ષાને મોકૂફ રાખવામા આવી હતી જેથી વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા ત્યારે આ મુદે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા તેમજ એબીવીપી દ્વારા આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગ કરવામાં આવી છે અને મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

એબીવીપી

મોરબી કલેકટરને જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે એબીવીપીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રવિવારે વિરોધના ભાગરૂપે પ્લેકાર્ડ બતાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પેપર લીકની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ૨૪ કલાકમા પરિક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે અને ૨૦ દિવસની અંદર અંદર આ પરિક્ષા લેવામા‌ આવે અને દોષીતો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ સીટની રચના કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેમજ આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આમ આદમી પાર્ટી

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે જેથી કરીને ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારો અને તેના પરિવારના સપના રોળાઈ ગયા છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે મોટા ખર્ચા કર્યા હતા તેનું શું ? વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને પછી તપાસના નામે નાના નાના આરોપીઓને પકડીને રૂટિન કામ કરવામાં આવે છે ત્યારે હાલની ઘટના માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવીને કાર્યવાહી કરવામાં આવે, દરેક ઉમેદવારોને ૫૦૦૦૦ નું વળતર આપવામાં આવે, સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે






Latest News