વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોક સેવા કેન્દ્રના કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરમાં લોક સેવા કેન્દ્રના કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર શહેરમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારી પાસેથી સરકારી યોજનાની માહિતી મેળવ્યા બાદ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને માથાકૂટ કરનારા શખ્સની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના મિલ પ્લોટ શેરી નં-૫ માં રહેતા વિનોદભાઈ રામદાસભાઇ રાઠોડ જાતે અનુસૂચિત જાતિ (વણકર સાધુ)એ હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા રાજેશભાઈ બરાસરાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ વાંકાનેરમાં ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે છેલ્લા દોઢેક વર્ષથી લોકોને સરકારી યોજનાની માહિતી આપવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે લોક સેવા કેન્દ્ર ખાતે આવેલ રાજેશભાઈએ તેને સરકારી યોજનાની માહિતી પૂછી હતી અને ત્યારબાદ સરકારની યોજનાઓમાંથી કેટલીક યોજનાઓનો લાભ જાતિ આધારિત મળતો હોય છે તેવું તેમણે પૂછ્યું હતું જેનો જવાબ આપતા આમાંથી મોટાભાગની યોજનાઓ અનુસૂચિત જાતિ માટેની જ છે અમારા જેવા સવર્ણોને તો આ યોજનાનો કોઈ લાભ મળતો નથી એવું કહ્યું હતું અને ત્યારબાદ તેણે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાલ ઉપર ઝાપટ મારીને જેમ ફાવે તેમ બોલીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરલે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઇ.પી.સી.કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા અનુસુચિત જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી વાંકાનેરના દિગ્વિજય નગરમાં પેડક સોસાયટીમાં રહેતા વિશાલભાઈ અશ્વિનભાઈ ગોહેલ જાતે ખવાસ રજપૂત (૩૧) પોતાનું બાઈક નં. જીજે ૩ એસ ૧૧૬૫ લઈને જતા હતા ત્યારે આરોપીએ પોતાનું બાઈક નં. જીજે ૩૬ એઇ ૭૮૪૮ તેની સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં સારવાર લીધા બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News