મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે વોલ્વો બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના વાધરવા પાસે વોલ્વો બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

માળીયા હળવદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને ૧૫ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી આ બનાવ સંદર્ભે હાલમાં બસના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસ નં. એનએલ ૧ બી ૨૩૨૪ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ વાધરવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરો પૈકીના ૧૫ જેટલા મુસાફરોને નાના મોટી ઈજા થઈ હોવાથી તે તમામ ઇજાગ્રસ્તોને જે તે સમયે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેમાંથી એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ પણ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં અમદાવાદના જુહાપુરા રોયલ અકબર બિલ્ડિંગમાં બ્લોક નંબર ડી ફ્લેટ ૩૦૨ ખાતે રહેતા મારૂફખાન ફતેખાન મલિક જાતે મુસ્લિમ (૫૭) એ બસના ચાલક વિપુલકુમાર રમણલાલ અકાલીયા રહે. અંબાજી માતાજીના મંદિર પાસે ધોળકા વાળાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ કાંટા પાસે રહેતા અનુબેન અનિલ ઠાકરે (૨૦) નામની મહિલાને પ્લાસ્ટિકના કારખાના પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ગાયત્રી નગર-૨ માં રહેતા હવાબેન સિદ્દીકભાઈ જામ (૨૮) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલા હવાબેન જામને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News