મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં મોરબી ખાતેથી શખ્સની ધરપકડ


SHARE













અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં મોરબી ખાતેથી શખ્સની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટરમાં રહેતા શખ્સની અમદાવાદ પોલીસે કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર, છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનામાં ધરપકડ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર, છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનામાં સંડોવાયેલ ઈસમ મોરબી હોવાની બાતમીને આધારે અમદાવાદની કારંજ પોલીસ મોરબી આવી હતી અને અહીં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભીમજી સવારામ સલાટ જાતે મારવાડી નામના શખ્સની ઉપરોક્ત ગુનામાં સંડવણી હોય તેને કાર્યવાહી અર્થે અમદાવાદ લઈ ગઈ હોવાનું વધુમાં પોલીસે જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા પ્રવીણભાઈ જેઠાભાઇ પરમાર નામનો ૩૪ વર્ષનો યુવાન શનાળથી આગળ આવેલ રાજપર ગામની નજીક આવેલ હનુમાન મંદિર પાસેથી પોતાનું બાઈક લઇને જતો હતો ત્યારે બાઇકની આડે અચાનક રોજડુ (જંગલી પ્રાણી) આડુ ઉતરતા પડી જતા ઇજા થતા પ્રવીણભાઈ પરમારને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો જગદીશ હકાભાઇ ધામેચા નામનો ૩૦ વર્ષનો યુવાન સોસાયટી પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલ સારવાર માટે લવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ વરમોરા સીરામીકમાં રહેતો વીરસિંહ ગોપ નામનો યુવાન ઢુવા નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરા વિસ્તારમાં રહેતા મુમતાઝબેન રતીજભાઈ સૈયદ (ઉંમર ૩૦) નામની મહિલાને ઘર નજીક પાડોશી સાથે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News