તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચે વરલી જુગારના આંકડા લેતા બે ઝડપાયા


SHARE











વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચે વરલી જુગારના આંકડા લેતા બે ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ નીચે રોડ સાઈડમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧૦,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બ્રિજ નીચે રોડની સાઈડમાં વરલી જુગારમાં આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૮૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને હાલમાં કિશોરભાઈ વજાભાઈ કોબીયા જાતે કોળી (ઉમર ૩૦) રહે.ખેરડી તાલુકો ચોટીલા અને સનાભાઇ સવજીભાઈ બાવરીયા જાતે કોળી (ઉમર ૪૦) રહે.બામણબોર વાળાઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

ટાઇલ્સ ક્લીનર પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં દશામાઁના મંદિર પાસે રહેતા ભરતભાઈ હીરાભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના યુવાને તેના ઘેર બાથરૂમ સાફ કરવાનું કોઈ ક્લિનિક પી લેતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી સિવિલ હોસ્પિટલ દ્રારા જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે મોરબીના લખધીરવાસ ચોક નજીક રહેતા કરણ દિલીપભાઈ પીઠડીયા નામના ૨૫ વર્ષના યુવાને તેના ઘેર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે, કરણે તેના મિત્ર પાસેથી હાથ ઉંછીના પૈસા લીધા હોય અને તે બાબતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે વાતનું મનમાં લાગી આવતા કરણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જેથી તેને સારવારમાં લઇ જવાયો છે.






Latest News