તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE











વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન તેના પરિવારજનો સાથે વાડીએ ભઠ્ઠો કરીને તાપણું કરતો હતો ત્યારે ભઠ્ઠામાં પેટ્રોલ નાખવા જતા જાળ લાગી હતી જેથી કરીને યુવાન ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે યુવરાજસિંહ ઝાલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતો અનિલભાઈ છગનભાઈ ડાવર (ઉંમર ૩૫) વાડીએ હતો ત્યારે તેના પત્ની સહિતના પરિવારજનો સાથે વાડીએ ભઠ્ઠો કરીને તાપણું કરતા હતા ત્યારે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા તેની જાળ લાગી હતી જેથી કરીને અનિલભાઈ ડાવર દાઝી ગયો હતો માટે તેને પ્રથમ સારવારમાં વાંકાનેરની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

યુવાન કૂવામાં પડી ગયો

મોરબી નજીકના સનાળા ગામે રહેતો નીતિનભાઈ ધનજીભાઈ સોલંકી (૨૭) નામનો યુવાન રાત્રિના સમયે કુવામાં પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે તેને કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News