મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના દિગ્વિજયનગર પાસેથી દિપડો પાંજરે પુરાયો


SHARE











વાંકાનેરના દિગ્વિજયનગર પાસેથી દિપડો પાંજરે પુરાયો

વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં દીપડાના આંટાફેરા હતા તેવામાં વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દીધા હતા જેથી વાંકાનેરના લોકોમાં ફફડાટ હતી અને આ અંગેની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ વન વિભાગના અધિકારીને સૂચના આપી હતી અને વન વિભાગના અધિકારી દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને ગુરુવારે સવારે દીપડો પાંજરે પુરાયો હતો જેથી કરીને વન વિભાગ દ્વારા તેને હાલમાં રામપરા વીડી ખાતે રાખવામા આવેલ છે અને આગામી સમયમાં ઉચ્ચ અધિકારી તરફથી જે આદેશ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે






Latest News