મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું


SHARE











મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે સીએ અને સીએસ ની કારકિર્દી તેમજ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર મૌલિન પંડ્યાએ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે તમામ સુખ સુવિધા જીવનમાં મળે તે માટે માતા-પિતાએ કરેલા સંઘર્ષની વાત સમજાવેલ હતી અને માતા પિતાએ બાળકોના જીવન ઘડતર માટે આપેલ યોગદાનની  ઇમોશનલ અને ચોટદાર વક્તવ્યથી ઘણાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. ખરેખર જીવનકાળ દરમિયાન માતા પિતાનો સંઘર્ષએ પુત્ર કે પુત્રી માટે અકલ્પનિય છે જે બાબત આજના સેમિનારમાં સાર્થક થયેલ છે તેમજ સીએ મૌલિક ટોલિયાએ વિદ્યાર્થીઓને સી.એ. બનવા માટેનું જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હતું આ સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી ખૂબ સરસ માહિતી પૂરી પાડી હતી. અને આ સેમિનારને સફળ બનાવવા માટે નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી તથા તમામ કોમર્સ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી






Latest News