ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને શ્રમિક યુવાને આપઘાત કર્યો હતો જે બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના દેવરીયા જિલ્લાના સીરવાનીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ કાલ શિવ સેતુ પોલીપેક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ નમીભાઈ શાહની જાતે માછીમાર (ઉંમર ૨૦) એ જોધપર ગામે મનસુખભાઈ નથુભાઈ પટેલના મકાનની સામે સરકારી ખરાબમાં આવેલ લીમડાના ઝાડ ઉપર લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ અંગેની જાણ હેમમાં જ રહેતા જયેશભાઈ ભુરાભાઈ હોથી જાતે પટેલ (૪૦) એ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News