મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી


SHARE











ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટમાં રહેતા યુવાનના ઘરની અંદર અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા જાતે પટેલ (ઉમર ૪૦) પોતાના ઘરે હતા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્ય શખ્સે તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી વીવો કંપનીના ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી કરીને દિનેશભાઈ ઝાલરીયાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મનીષ મહેશભાઈ સુમેસરા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષાબેન ગિરીશભાઈ દુદકિયા (૫૭) અને તૃપ્તિબેન ગિરીશભાઈ દુદકિયા (૨૭) બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામના ઝાંપાની પાસે આવેલ મારૂતિ પાન નજીક તેઓનું બાઈક સ્લીપ થતા બંનેને ઈજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરણ મનીષભાઈ સોલંકી (૧૭) અને સંજય કાંતિલાલ કડેવાર (૨૬) ને આયુષ હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News