મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું


SHARE











મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન યુવાનનો હાથ ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાં અડી ગયો હતો જેથી કરીને તે યુવાનને શોટ લાગ્યો હતો અને યુવાન દાઝી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ નજીક સમજુબા સ્કૂલ વાળી શેરીમાં રહેતા દિનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા નીલકંઠ હોસ્પિટલની બાજુમાં એસીપી ફર્નિચર બોર્ડ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી વીજ કંપનીની મેઇન ઈલેક્ટ્રીક લાઈનને એસીપી ફર્નિચર બોર્ડ બનાવતા સમયે હાથ અડી ગયો હતો જેથી કરીને તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા દિનેશભાઈ દાઝી ગયા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી મૃતકના ભાઈ હિતેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) રહે. શ્યામ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ બનાવવાની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

મોરબીના માધાપર જાપા પાસે રહેતા મનુભાઈ ગોકળભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૬૦) ને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખતું હતું જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની મૃતકના દિકરા સુરેશભાઈ મનુભાઈ સારલા (૩૩) રહે. માધાપરના જાપા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News