મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું


SHARE











મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન યુવાનનો હાથ ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાં અડી ગયો હતો જેથી કરીને તે યુવાનને શોટ લાગ્યો હતો અને યુવાન દાઝી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ નજીક સમજુબા સ્કૂલ વાળી શેરીમાં રહેતા દિનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા નીલકંઠ હોસ્પિટલની બાજુમાં એસીપી ફર્નિચર બોર્ડ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી વીજ કંપનીની મેઇન ઈલેક્ટ્રીક લાઈનને એસીપી ફર્નિચર બોર્ડ બનાવતા સમયે હાથ અડી ગયો હતો જેથી કરીને તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા દિનેશભાઈ દાઝી ગયા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી મૃતકના ભાઈ હિતેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) રહે. શ્યામ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ બનાવવાની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

મોરબીના માધાપર જાપા પાસે રહેતા મનુભાઈ ગોકળભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૬૦) ને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખતું હતું જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની મૃતકના દિકરા સુરેશભાઈ મનુભાઈ સારલા (૩૩) રહે. માધાપરના જાપા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News