મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ગાળો બોલવાની વાતમાં યુવાનને છરીનો ઘા ઝીકિ દીધો : રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના લાતી પ્લોટમાં ગાળો બોલવાની વાતમાં યુવાનને છરીનો ઘા ઝીકિ દીધો : રાજકોટ ખસેડાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ મળીને બે મહિલા સહિત પાંચને ઇજાઓ થઈ હતી જે પૈકીના એક યુવાનને વધુ ઈજા થઈ હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને મારામારીના આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ માં રહેતા સદ્દામ અબ્દુલહુસેન મુસાણી (૧૮) નામના યુવાનને છરી વાગી હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સદ્દામ અબ્દુલભાઈ મુસાણી (૧૮) ને છરી વડે પડખાના ભાગે ઇજા કરવામાં આવી હતી માટે તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે જો કે, મારામારીના આ બનાવમાં અહેમદ અલીભાઇ અંસરી (૧૬), કેહરાબેન અલીભાઈ અંસરી (૪૫), મોહમ્મદ અલીભઈ અંસરી (૧૮) અને અલીમોહમ્મદ દિનમહોમદ અંસરી (૪૫) રહે. બધા લાતી પ્લોટ શેરી નં-૪ વાળાને પણ ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં મારામારીના આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પીધું

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હાજરાબેન ઈમ્તિયાઝભાઈ બલોચ (૩૭) અને મુસ્કાનબેન (૧૫) બંને પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી ગયા હતા જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરનાર વિપુલ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા બનેએ ફિનાઈલ પી લીધું હોય તેને સારવારમાં ખસવામાં આવ્યા હતા.






Latest News