મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ગાળો બોલવાની વાતમાં યુવાનને છરીનો ઘા ઝીકિ દીધો : રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના લાતી પ્લોટમાં ગાળો બોલવાની વાતમાં યુવાનને છરીનો ઘા ઝીકિ દીધો : રાજકોટ ખસેડાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ મળીને બે મહિલા સહિત પાંચને ઇજાઓ થઈ હતી જે પૈકીના એક યુવાનને વધુ ઈજા થઈ હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને મારામારીના આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ માં રહેતા સદ્દામ અબ્દુલહુસેન મુસાણી (૧૮) નામના યુવાનને છરી વાગી હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સદ્દામ અબ્દુલભાઈ મુસાણી (૧૮) ને છરી વડે પડખાના ભાગે ઇજા કરવામાં આવી હતી માટે તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે જો કે, મારામારીના આ બનાવમાં અહેમદ અલીભાઇ અંસરી (૧૬), કેહરાબેન અલીભાઈ અંસરી (૪૫), મોહમ્મદ અલીભઈ અંસરી (૧૮) અને અલીમોહમ્મદ દિનમહોમદ અંસરી (૪૫) રહે. બધા લાતી પ્લોટ શેરી નં-૪ વાળાને પણ ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં મારામારીના આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પીધું

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હાજરાબેન ઈમ્તિયાઝભાઈ બલોચ (૩૭) અને મુસ્કાનબેન (૧૫) બંને પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી ગયા હતા જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરનાર વિપુલ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા બનેએ ફિનાઈલ પી લીધું હોય તેને સારવારમાં ખસવામાં આવ્યા હતા.






Latest News