મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી


SHARE







મોરબીમાં કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી

મોરબી કોરોનાની મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે લોકોની સેવા કરનારા અજયભાઇ લોરીયા દરેક જ્ઞાતિના લોકોને મદદરૂપ બને છે જેથી કરીને નાની ઉંમરમાં ભામાશાનું બિરૂદ લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ હાલમાં જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગના ચેરમેન છે

 મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેન અજયભાઈ લોરિયા "સેવા એજ સંપતિ" નામની સંસ્થા પણ ચલાવે છે. અને દેશનાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ, શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરતાં હોય છે અને કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી "ત્રિશા રાઠોડ"ને અજયભાઈ લોરિયાએ માનવતા મહેકાવીને આ દીકરીના એજ્યુકેશન (ભણતર) માટેનો તમામ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે અને દીકરીને ભણતર માટે દતક લીધી છે






Latest News