મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ઘટના સમયે કરેલ બચાવ કામગીરીનો મજાક બનાવવાનો મતદારોએ જડબાતોડ જવાબ દીધો: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીમાં દુર્ઘટના સમયે કરેલ બચાવ કામગીરીનો મજાક બનાવવાનો મતદારોએ જડબાતોડ જવાબ દીધો: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં સવા મહિના પહેલા ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે શુક્રવારે મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળીયાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેતા બનેલા મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને મૃતકોના પરિવારને ન્યાય મળે તેમજ મૃતકોને મોક્ષ મળે તેના માટે ભગવાનને પ્રાર્થના કરી હતી

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તેના લીધે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જુદાજુદા કાર્યકમો કરવામાં આવ્યા હતા ત્યારે શુક્રવારે ઝુલતા પુલ પાસે આવેલ દરબારગઢ નજીક મચ્છુ માતાના મંદિરે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યજમાન તરીક મોરબી પાલિકાના સ્થાનિક ચૂંટાયેલા સભ્ય સીતાબા અનોપસિંહ જાડેજા તેમજ અનોપસિંહ જાડેજા તેમજ દર્શનાબેન નલિનભાઈ ભટ્ટ અને નલિનભાઈ ભટ્ટ બેઠા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી આ યજ્ઞના આચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ જોશી હાજર રહેશે અને તેઓ શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી 

ત્યારે મોરબી માળીયાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેતા બનેલા મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઈ વાઘેલા તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આટલુ જ નહીં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા અને તે તમામ લોકોએ ઝૂલતો પુલ તૂટી પડ્યો હોવાથી મૃત્યુ પામેલ લોકોના મોક્ષર્થે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપી હતી

ત્યાર બાદ પત્રકારો સાથે વાત કરતાં કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, ઝૂલતા પુલની દુર્ઘટનાના દુખ સાથે ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીનું પરિણામ આવ્યાની સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના મોક્ષર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તે તમામ આત્માનોને મોક્ષ મળે તેમજ તેના પરિવારોને ન્યાય મળે તેના માટે ભગવાનને પ્રાર્થના કરેલ છે અને ઝુલતો પુલ તૂટ્યો હતો ત્યારે જે બચાવ કામગીરી કરી હતી તેને મજાક બનાવવાનો ઘણા લોકો પ્રયાસ કર્યો હતો જો કે, મતદારો અને મૃતકના પરિવાજનોએ તેને જડબા તોડ જવાબ આપી દીધો છે તો મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયાએ કહ્યું હતું કે, કાયમી દુર્ઘટના સમયે કાનાભાઇ લોકોની સાથે ઊભા રહ્યા છે એટલા જ માટે લોકોએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે






Latest News