તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કન્વેનેટર બેલ્ટમાં આવી જવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ આઈકા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાલ (ઉંમર ૨૧) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કન્વેરેટર બેલ્ટમાં આવી જવાના કારણે મનીષભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોહનભાઈ ભુરીયા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઉંદર મારવાની દવા પી જતા સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતો મિહિર શૈલેષભાઈ રામાનુજ નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ કારણસર તેના ઘેર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સનાળા રોડ સરદારબાગ પાસે ફૂટપાથ ઉપર રહેતા સુરેશભાઈ પિત્રોડા નામના ૭૭ વર્ષના વૃદ્ધ રસ્તા ઉપર પડી જતા તેઓને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.





Latest News