મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી


SHARE











ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ વાડીમાં આવેલ કુવામાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં જ મોત નીપજતા મૃતક યુવાનના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં ફોરેન્સાક પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઈબ્રાહીમભાઇ અબ્રાણીની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર અજય નીતિનભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 25) રહે. ઉગમણા નાકા ટંકારા વાળો પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો અને ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ કુવાના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુમ થયેલ યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો અને જાણવા મળ્યા મુજબ તેને પગના ભાગે સળિયા ફીટ કરેલા હોય અને તે સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો પણ તે મજુરી કામ તે કરી શકતો ન હોય અન્ય મજૂરી કામ શોધવા માટે જાવ છું તેમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. મૃતક અજય વાઘેલા બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. દરમિયાનમાં કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? કે કોઈ અકસ્માત બનાવ બન્યો છે..? એ દિશામાં ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News