મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી


SHARE











ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ વાડીમાં આવેલ કુવામાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં જ મોત નીપજતા મૃતક યુવાનના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં ફોરેન્સાક પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઈબ્રાહીમભાઇ અબ્રાણીની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર અજય નીતિનભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 25) રહે. ઉગમણા નાકા ટંકારા વાળો પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો અને ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ કુવાના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુમ થયેલ યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો અને જાણવા મળ્યા મુજબ તેને પગના ભાગે સળિયા ફીટ કરેલા હોય અને તે સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો પણ તે મજુરી કામ તે કરી શકતો ન હોય અન્ય મજૂરી કામ શોધવા માટે જાવ છું તેમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. મૃતક અજય વાઘેલા બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. દરમિયાનમાં કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? કે કોઈ અકસ્માત બનાવ બન્યો છે..? એ દિશામાં ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News