મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમ


SHARE











મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમ

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા વિપ્ર પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ જતા તેના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળતી વિગચો મુજબ મોરબી-કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રી જાતે બ્રાહ્મણ (ઉમર ૫૫) નામના આધેડે પોલીસમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી રાધિકાબેન (ઉંમર ૨૨) ગત તા.૧૫-૧૦ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોલીસે રાધિકાબેન ગુમ થયાં અંગેની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતો રોહિત ભાઈલાલભાઈ રાઠવા નામનો ૩૦ વર્ષનો યુવાન વાડીએ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે નાનીવાવડી ગામે રહેતા સંગીતાબેન કલ્પેશગીરી ગોસ્વામી નામની ૩૯ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલના ટીકડા ખાઈ જતા તેણીને સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી.તેમજ જોડીયા નજીકના માવના ગામે રહેતી ડિમ્પલબેન અજયભાઈ બસીયા નામની ૨૪ વર્ષીય પરિણીતા ફીનાઇલ પી જતાં તેણીને પણ અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સનાળા રોડ રામજી મંદિર પાસે આવેલ ગંદ્રાની વાળી વિસ્તારમાં રહેતો રોહિત દયારામભાઈ ડાભી નામનો ૨૨ વર્ષનો યુવાન પંચાસર ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ભરતનગર ગામે રહેતા મોહનભાઈ નરસીભાઈ પરમાર નામનો ૪૪ વર્ષીય યુવાન ટ્રેક્ટર લઈને વાડીએ જતો હતો ત્યારે સાદુરકા અને ભરતનગર વચ્ચેના રસ્તે તેમનો પગ ટ્રેક્ટરમાં આવી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદના નિકોલ રોડ ઉપર ખોડીયારનગર પાસેની રતનપાર્ક સોસાયટીમાં રહેતા સુમિતાબેન નનુભાઈ ચાંચડ નામની ૨૬ વર્ષીય મહિલા મોરબી નજીકના આમરણ ગામે આવેલ દાવલશા પીરની દરગાહ પાસે બાઈકમાં જતા સમયે તેઓનું બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News