તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં લાલપર નજીક રોડ ઉપર ખાડો આવતા અકસ્માત, યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં લાલપર નજીક રોડ ઉપર ખાડો આવતા અકસ્માત, યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રોડ ઉપરના ખાડાના લીધે બાઇક સ્લીપ થઇ જતા ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો મયુર વિઠ્ઠલભાઈ કડીવાર નામનો ૩૪ વર્ષનો યુવાન તા.૫-૧૧ ના રોજ બાઈક લઈને જતો હતો ત્યારે લાલપર ગામ નજીક આવેલ શૈલેષ વે-બ્રિજ પાસે રોડ ઉપરના ખાડાના લીધે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત થયેલા મયુર કડીવારને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા ગોપાલ ધનજીભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને પ્રેમજીનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતી રિધ્ધીબેન કાનાભાઈ જીવાભાઇ સવશેટા નામની ૧૮ વર્ષની યુવતી કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ માટે માળિયા પોલીસને બનાવની જાણ કરી હતી. જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળની અવધ સોસાયટીમાં રહેતો યોગી પ્રવીણભાઈ સેરશીયા નામનો ૨૪ વર્ષનો યુવાન ચિત્રકૂટ સોસાયટી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે અથડાતા ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીમાં થયેલ મારામારી અને રાયોટીંગના ગુનામાં પીએસઆઇ જે.એલ. ઝાલા દ્વારા મારામારી અને રાઇટીંગના ગુનામાં સંડોવાયેલા સિધ્ધરાજ તુલસીભાઈ સોલંકી (૨૦) રહે. રોહીદાસપરા વીશીપરા નજીક મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના અંબીકા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે થયેલ મારામારીના ગુનામાં એ.એમ. જાપડીયા દ્વારા દેવદીપસિંહ સંગ્રામસિંહ જાડેજા (૩૮) અને વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (૪૫) રહે. અંબિકા રોડ મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News