મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ ઉપર વળાંક ન વળતાં બાઈક રેલિંગ સાથે અથડાયું: એકનું મોત, બેને ઇજા


SHARE











વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ ઉપર વળાંક ન વળતાં બાઈક રેલિંગ સાથે અથડાયું: એકનું મોત, બેને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ ઉપર વળાંક ન વાળી શકતા ત્રીપલ સવારી જઈ રહેલ બાઈક રેલિંગ સાથે અથડાયું હતું જેથી કરીને બાઈક ચાલકનું મોત નીપજયું હતું અને તેની સાથે બાઈકમાં બેઠેલ મહિલા સહિતના બે વ્યક્તિઓને ઈજા તથા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ વ્યક્તિએ મૃતકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના રૈયાધાર મફતિયાપરામાં રહેતા ભરતભાઈ નાનજીભાઈ દેત્રોજા જાતે કોળી (૧૯) એ હાલમાં મૃતક સુરેશભાઈ મગનભાઈ મકવાણા જાતે કોળી (૪૫) રહે. ચુનારાવાડ રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર બાઉન્ડ્રીએ ઓવરબ્રિજ ઉપરથી સુરેશભાઈના બાઈક નં- જીજે ૩ એફએલ ૮૫૨૧ માં ફરિયાદી ભરતભાઈ તથા નીલમબેન આમ ત્રણ વ્યક્તિઓ જઈ રહ્યા હતા ત્યારે ઓવરબ્રિજ ઉપર વળાંકમાં બાઈક વાળી નહીં શકતા બાઈક સીધું રેલિંગ સાથે અથડાયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈ મકવાણાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની સાથે બાઈક ઉપર બેઠેલ ફરિયાદી ભરતભાઈ અને નીલમબેનને હાથે પગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર લીધા બાદ ભરતભાઈ દેત્રોજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News