મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આડેધડ લીલુઘાસ નાખતા વધુ એક વેપારી સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીના લીલાપર રોડે આડેધડ લીલુઘાસ નાખતા વધુ એક વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં રાહદારી અને વાહન ચાલકોને અડચણ રૂપ થાય તે રીતે અને ગમે ત્યારે જીવલેણ સાબિત થાય તે રીતે આડેધડ લીલું ઘાસ વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને આવા વેપારીઓની સામે પોલીસે હવે કાર્યવાહી શરૂ કરેલ છે અને તેના ભાગરૂપે વધુ એક વેપારી સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેલ રોડ ઉપર જેલથી આગળના ભાગમાં લીલાઘાસના વાડા બનાવીને ત્યાં વેપારીઓ દ્વારા લીલાઘાસનું વેચાણ કરવામાં આવતું હોય છે જોકે રાહદારી અને વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે આડેધડ રોડ સાઈડમાં લીલા ઘાસચારા નાખવામાં આવે છે જેથી કરીને ગાય તથા ખૂંટીયા રોડ વચ્ચે અડિંગો જમાવે છે જેથી ટ્રાફિકની સમસ્યા તેમજ ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોય છે માટે આડેધડ લીલા ઘાસચારા ફેકતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વેપારીની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો દરમિયાન આજે વધુ એક વેપારીની સામે ગુનો નોંધવામાં આવે છે જેમાં નંદકિશોરભાઈ ઉર્ફે કાનાભાઈ બાલકૃષ્ણભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૬૫) રહે. દાઉદી પ્લોટ શેરી નં-૫ વાળા લીલૂઘાસ રસ્તા ઉપર નાખીને લોકોને અડચણરૂપ થાય તેમજ ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી બેદરકારી દાખવતા તેની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News