તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મોરબીના ૧૯૩૯ કરોડના કામોનું થશે ખાતમહુર્ત


SHARE











વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મોરબીના ૧૯૩૯ કરોડના કામોનું થશે ખાતમહુર્ત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ આવી રહ્યા છે અને ત્યારે જુદા જુદા જિલ્લાઓની અંદર કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત તેઓના હસ્તે કરવામાં આવનાર છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં પણ ૧૯૩૯ કરોડના વિકાસ કામોનું ખાતમહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સભાઓને ગજવી રહ્યા છે અને આગામી દિવસોમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવા સમયે રંગીલા રાજકોટમાં આજે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવાની છે તેની સાથો સાથ તેમના હસ્તે જુદા જુદા લાખો કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં ૧૪૬૧ કરોડના ખર્ચે સીરામીક પાર્ક, ૧૯૭ કરોડના ખર્ચે હળવદ મોરબી ફોરલેન, ૧૪૧ કરોડના ખર્ચે મોરબી જેતપર ફોરલેન, ૭૪ કરોડના ખર્ચે નવલખી રેલવે લાઈન ઓવરબ્રિજ, ૩૩ કરોડના ખર્ચે મોરબી જિલ્લા કોર્ટ, ૨૩ કરોડના ખર્ચે ગવર્મેન્ટ ક્વાર્ટર અને ૭ કરોડના ખર્ચે ટંકારા કોર્ટ બિલ્ડીંગ તેમજ મોરબી જિલ્લામાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ મેડિકલ કોલેજ આમ અનેક વિધ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાના છે અને કુલ મળીને એક જ દિવસમાં મોરબીના ૧૯૩૯ કરોડના વિકાસ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યા છે જેથી કરીને મોરબીના લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે






Latest News