મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતમાં તીથવામાં પાણી માટે રજૂઆત કરવા ગયેલ ધારાસભ્ય સહિતના પાંચ સામે નોંધાયેલ એટ્રોસિટીના ગુનામાં તમામનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની સામે વર્ષ 2012માં એટ્રોસિટીની ફરિયાદ જે તે સમયના વાંકાનેરના ટીડીઓ દ્વારા નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્યના વકીલ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો, દલીલો અને પુરાવો ને ધ્યાનમાં રાખીને કોર્ટે વાંકાનેરના ધારાસભ્ય સહિતના પાંચે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2012માં ઓગસ્ટ મહિનાની 27 મી તારીખે વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાણીનો પ્રશ્ન હોવાથી તે ગામના સરપંચની આગેવાનીમાં ત્યાંના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય સહિતના લોકો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પાણીના પ્રશ્ન રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તારીખ 2/9/2012 ના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયના વાંકાનેર તાલુકા પંચાયતના તે સમયના ટીડીઓ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, તિથવા ગામના સરપંચ મોહમ્મદભાઈ શેખ, તીથવા ગ્રામ પંચાયતના સભ્ય જલાલભાઈ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિત પાંચ વ્યક્તિઓની સામે એટ્રોસિટી અને ઓફિસમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્ય સહિત પાંચેય આરોપીઓના વકીલ અનિલભાઈ દેસાઈ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ધારાસભ્ય સહિતના પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે






Latest News