મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢ ગામે સર્પે દંશ દેતાં મહિલાનું મોત


SHARE













વાંકાનેરના વિનયગઢ ગામે સર્પે દંશ દેતાં મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મહિલાને સર્પે દંશ મારી દેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના ભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ગોવિંદભાઇ ખમાણીની દિકરી ભાનુબેન (ઉંમર ૪૦) ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે સર્પે દંશ મારી દીધો હતો જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું હાલમાં ખીમાભાઈ ગોવિંદભાઈ ખમાણીએ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં નુકશાન

મોરબી નજીકના લાલપર ગામથી આગળના ભાગમાં નર્મદા કેનાલની બાજુમાં પ્રિયા સેનેટરી નામના કારખાના પાસે આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ૩૬ એલ તેલ ૯૧૦૮ ઊભી હતી ત્યારે ડ્રાઇવરની પાછળના ભાગેથી ડમ્પર નંબર જીજે ૧૨ બીએક્સ ૫૭૪૪ ના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને કારમાં નુકશાન થયું છે. માટે નિલેષ રમેશભાઇ સોલંકી રહે, પ્રેમજીનગર વાળાએ ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પરના ચાલક અબ્દુલ કાસમ કુંભાર (૨૪) રહે, સઇ ગામ રાપર વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News