ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે માલગાડી સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે માલગાડી સાથે અથડાતાં યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવ નજીકથી માલગાડી પસાર થતી હતી ત્યારે તેની સાથે અજાણ્યા 25 વર્ષનો યુવાન અથડાઇ જતાં તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રેલવે પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પાણીના તળાવ પાસે રેલવેના ઈલેક્ટ્રિકલ્સ થાંભલા નંબર ૧૯/૨૧ પાસેથી માલગાડી તા ૨૫ ના રોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે માલગાડી સાથે ૨૫ વર્ષનો યુવાન અથડાયો હતો જેથી તે યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની રેલવેના એએસઆઈ રતિલાલ બાબુભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઝારખંડનો હોવાની વાત સામે આવી છે જો કે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે






Latest News