મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે માલગાડી સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે માલગાડી સાથે અથડાતાં યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવ નજીકથી માલગાડી પસાર થતી હતી ત્યારે તેની સાથે અજાણ્યા 25 વર્ષનો યુવાન અથડાઇ જતાં તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રેલવે પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પાણીના તળાવ પાસે રેલવેના ઈલેક્ટ્રિકલ્સ થાંભલા નંબર ૧૯/૨૧ પાસેથી માલગાડી તા ૨૫ ના રોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે માલગાડી સાથે ૨૫ વર્ષનો યુવાન અથડાયો હતો જેથી તે યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની રેલવેના એએસઆઈ રતિલાલ બાબુભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઝારખંડનો હોવાની વાત સામે આવી છે જો કે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે






Latest News