સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા


SHARE











વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર તાલુકાનાં અરણીટીબા ગામનાં ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી.

તાલુકાના અરણીટીબા ગામનાં 5 થી 7 જેટલા ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હોવાનાં આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં, અને ફરિયાદ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી, અને જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો પાંચ હજાર જેટલા ખેડૂતો ઉમટી પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી, આ ગામના ખેડૂતો પર માલિકીનાં ખરા (જમીન) બાબતે ગામનાં જ અમુક લોકો દ્વારા આ રીતે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતાં, અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર રાગ દ્વેષ રાખી આ ફરિયાદ દાખલ કરી દેવાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં, અને યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવતાં ગરમાવો ફેલાવા પામ્યો હતો.






Latest News