મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા


SHARE















વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર તાલુકાનાં અરણીટીબા ગામનાં ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી.

તાલુકાના અરણીટીબા ગામનાં 5 થી 7 જેટલા ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હોવાનાં આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં, અને ફરિયાદ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી, અને જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો પાંચ હજાર જેટલા ખેડૂતો ઉમટી પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી, આ ગામના ખેડૂતો પર માલિકીનાં ખરા (જમીન) બાબતે ગામનાં જ અમુક લોકો દ્વારા આ રીતે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતાં, અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર રાગ દ્વેષ રાખી આ ફરિયાદ દાખલ કરી દેવાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં, અને યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવતાં ગરમાવો ફેલાવા પામ્યો હતો.






Latest News