મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

“નંદ ઘેર આનંદ ભૈયો”: મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીએ મટકીફોડ  યોજાશે


SHARE











“નંદ ઘેર આનંદ ભૈયો”: મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીએ મટકીફોડ  યોજાશે

રાજકીય યાત્રામા જનમેદની ની છુટછાટ પરંતુ હિન્દુ ધર્મના પવિત્ર પર્વ જન્માષ્ટમીની શોભાયાત્રામા જનસંખ્યાની મર્યાદા તથા જાહેર મટકીફોડના કાર્યક્રમ પર પ્રતિબંધ જાહેર થતા સંસ્થા દ્વારા ડીઝીટલ કાર્યક્રમનો નિર્ણય કરવામાં આવ્યો છે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી તા.૩૦  સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા નુ નિર્ધારિત કરવા મા આવ્યુ છે. જે અંતર્ગત ૧૨ વર્ષ સુધી ના બાળકો માટે ડીઝીટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ છે. જન્માષ્ટમી ના દીવસે નાના બાળકો ને પોતાના ઘરે રાધા અથવા કૃષ્ણ ભગવાન ના વસ્ત્રો પરિધાન કરાવવા ના રહેશે તેમજ ૧.૫ થી ૨ મીનીટ નો વિડીયો બનાવી સંસ્થાના પદાધિકારી કૌશલભાઈ જાની વોટ્સએપ નં- ૭૦૬૯૬૭૫૨૧૯ અથવા વિશાલભાઈ ગણાત્રા વોટ્સએપ નં-૮૨૩૮૪૬૬૨૦૨ પર વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે.

બાળકો દ્વારા વક્તવ્ય, ગીતાજી ના શ્લોક અથવા પરિવાર ના સભ્યો સાથે રહી પોતાના નિવાસ સ્થાને જ મટકીફોડનો કાર્યક્રમ યોજી બાળકોના વરદ્ હસ્તે મટકી ફોડ યોજી તેનો વિડીયો બનાવી તા.૩૦ સોમવારના રોજ સંસ્થાના પદાધિકારી ના ઉપરોક્ત વોટ્સએપ નંબર પર મોકલવાનો રહેશે. વિડીયો સાથે બાળકનુ નામ, ગામ, વાલી નો સંપર્ક નંબર, બાળક ના આધાર કાર્ડ અથવા જન્મ નુ પ્રમાણપત્રનો ફોટો મોકલવાનો રહેશેવિજેતા સ્પર્ધકો ને સંસ્થા તરફ થી ઈનામ તથા દરેક સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ અર્પણ કરવા મા આવશે. સ્પર્ધા મા મોરબી જીલ્લામા સમાવિષ્ટ મથકના બાળકો ભાગ લઈ શકશે. વધુ માહીતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ યાદીમા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલ બેઠકમા જન્માષ્ટમીના પર્વની ઉજવણી અંગે ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે જેમા ૨૦૦ લોકોની છુટ સાથે શોભાયાત્રા યોજી શકાશે પરંતુ જાહેર મટકીફોડ કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવવા મા આવ્યો છે. જાહેર મટકીફોડ પર પ્રતિબંધ, તો શોભાયાત્રાનો શું મતલબ? કરોડો હિન્દુઓ ની આસ્થા ભગવાન શ્રી કૃષ્ણ પર રહેલી છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કોરોના નુ ગ્રહણ, પરંતુ નેતાઓની યાત્રામા વિશાળ જનમેદની એકઠી કરવા પર છુટછાટ..? જેવા યક્ષ પ્રશ્નો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવી કાયદાની મર્યાદામા રહી ડીઝીટલ જન્માષ્ટમી ની ઉજવણી કરી ઘરે-ઘરે મટકી ફોડ કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવ  વધાવવાનુ નિર્ધારિત કરવામા આવ્યુ છે. તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી નિર્મિતભાઈ કક્કડએ જણાવ્યુ છે






Latest News