મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ


SHARE















મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલઅનિલભાઈ પંડ્યાભુપતભાઈ પંડ્યારજનીભાઇ રાવલનરેન્દ્રભાઈ જોશી (નરુમામા)જયેશ ઓઝાશંકરભાઈ મઢવીતેજસ જાની સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખમહામંત્રી તથા કારોબારી સમિતિના સભ્યો સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વાનુમતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે વાકાનેના ભરતભાઈ ઓઝામહામંત્રી તરીકે મોરબીના ચિંતનભાઈ ભટ્ટકારોબારીમાં વાકાનેરના બાબુભાઈ રાજગોર તથા મોરબીના એન.એન.ભટ્ટની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારોએ ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલના આશીર્વાદ મેળવી સમાજસેવા કરવાની પ્રેરણા આપી હતી. અને વાકાનેર ઔદિચ્ય  બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ દ્વારા સમાજને પ્રેરણારૂપ વાત કરી હતી જ્યારે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા દ્વારા પરશુરામ ધામ દ્વારા કરવામાં આવેલ વિવધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી આપી હતી તથા અનિલભાઈ મહેતા દ્વારા સમાજના સંગઠનને લગતી તથા સમાજ માટે હરહંમેશ કામ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને અંતે પુષ્કરભાઈ ત્રિવેદીએ મોરબી જિલ્લામાંથી આવેલા તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News