મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ


SHARE











મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલઅનિલભાઈ પંડ્યાભુપતભાઈ પંડ્યારજનીભાઇ રાવલનરેન્દ્રભાઈ જોશી (નરુમામા)જયેશ ઓઝાશંકરભાઈ મઢવીતેજસ જાની સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખમહામંત્રી તથા કારોબારી સમિતિના સભ્યો સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વાનુમતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે વાકાનેના ભરતભાઈ ઓઝામહામંત્રી તરીકે મોરબીના ચિંતનભાઈ ભટ્ટકારોબારીમાં વાકાનેરના બાબુભાઈ રાજગોર તથા મોરબીના એન.એન.ભટ્ટની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારોએ ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલના આશીર્વાદ મેળવી સમાજસેવા કરવાની પ્રેરણા આપી હતી. અને વાકાનેર ઔદિચ્ય  બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ દ્વારા સમાજને પ્રેરણારૂપ વાત કરી હતી જ્યારે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા દ્વારા પરશુરામ ધામ દ્વારા કરવામાં આવેલ વિવધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી આપી હતી તથા અનિલભાઈ મહેતા દ્વારા સમાજના સંગઠનને લગતી તથા સમાજ માટે હરહંમેશ કામ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને અંતે પુષ્કરભાઈ ત્રિવેદીએ મોરબી જિલ્લામાંથી આવેલા તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News