મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં લૂંટ કરનાર આરોપી જામીન મુક્ત


SHARE











વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં લૂંટ કરનાર આરોપી જામીન મુક્ત

વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે આવેલ ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં વર્ષ ૨૦૦૦ માં લૂંટ નો બનાવ બનેલ હતો જે ગુનામાં થોડા દિવસો પહેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો જેને કેલ હવાલે કરવામાં આવ્યો હતો જો કે, તેની જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીને વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરેલ છે

ગત તા.૦૫-૦૨-૨૦૦૦ ના રોજ ઢૂવા પાસેના ફાઈન સીરામીક કારખાનામાં આરોપીઓ લૂંટ કરવાના ઇરાદે દીવાલ ટપી ફરિયાદી કોશલકુમાર સુદામાભગત દેસાઈ ક્વાટર્સ પાસે જઈ ફરિયાદીના ક્વાટર્સ ઉપર ચડી નળિયાં ખેંચવી ફરિયાદી તેના કુટુંબ સાથે સુતા હતા તેના ઉપર નાનો પથ્થર ફેંકેલ જેથી ફરિયાદી અને તેના પત્ની જાગી ગયેલ તેઓએ કવાટર્સ ઉપર માણસને જોતા કોઈ ચોર હોવાનું લાગતા તેણે બીજા માણસોને બોલાવવા માટે તાત્કાલિક ક્વાટર્સનું બારણું ખોલેલ તો એ વખતે બારણાં પાસે ઉભેલા બે આરોપીઓ પૈકી એક આરોપીએ ફરિયાદીના ક્વાટર્સમાંથી ફરિયાદી શૂટકેશ લઇ ભાગવાની કોશિષ કરી હતી ત્યારે ફરિયાદીએ આરોપીને પકડી લિધેલ જેથી આરોપીઓએ પરાણે શૂટકેશ લઇ જવા માટે આરોપીએ ફરિયાદીને ઢીંકા પાટુનો માર મારેલ હતો તેમજ અન્ય આરોપીએ ફરીયાદીને છરી વતી ઈજાઓ કરેલ હતી જેથી ફરિયાદી તથા ફરિયાદીના પત્ની રાડારાડ કરતા બીજા મજૂરો આવી ગયેલા હતા અને આરોપીઓ નાશી ગયેલા અને આરોપી સંજય બાપુને પકડી અને રાંઢવાથી હાથ બાંધી દઈ લાકડા સાથે બાંધી દીધેલ હતો

ત્યાર બાદ ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસે લૂંટ  સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધેલ હતો અને ત્યારબાદ આરોપી રમણ અબુ ઉર્ફે આલુ દેવધાની તા.૧૭-૦૭-૨૦૨૧ ના રોજ અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ હતો અને આરોપીને જેલ હવાલે કરવા હતો ત્યારબાદ આરોપી રમણ દેવધાએ એડવોકેટ એસ.એમ. શેરસિયા મારફત નામદાર કોર્ટમાં જામીન કરેલ હતી જે કામે આરોપીના વકીલે ધારદાર દલીલો કરી અને નામદાર ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ રજુ રાખેલ હતા જે તમામ હકીકતોને ધ્યાનમાં લઇ આરોપી રમણ અબુ દેવધાને ૧૫૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે આ કામે આરોપી રમણ અબુ ઉર્ફે આલુભાઈ દેવધા વતી મુસ્કાન એસોસિએટસના એડવોકેટ એસ.એમ.શેરસિયાએ.એ.માથકિયાપી.એલ.નંધાકે.બી.ભુરીયાતથા બી.એસ.લૂંભાણી રોકાયેલ હતા






Latest News