વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં રહેતા વૃદ્ધ માતાની વાજતે ગાજતે અંતિમ યાત્રાની ઈચ્છા પૂરી કરતી છ દીકરી


SHARE











મોરબીના વાઘપરામાં રહેતા વૃદ્ધ માતાની વાજતે ગાજતે અંતિમ યાત્રાની ઈચ્છા પૂરી કરતી છ દીકરી

વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે મોરબીમાં ૭૦ વર્ષની ઉમરે કુદરતી રીતે જ અવશાન પામેલા માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરીઓએ બેન્ડ વાજા સાથે માતાની અંતિમ યાત્રા કાઢી હતી અને પાપા પગલીથી પગભર કરવા સુધીમાં જેનું શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન હોય છે તે માતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ મઠો પ્રસંગ લાગે છે જો કે, આ અહેવાલની સાથે મુકવામાં આવેલી તસ્વીરોમાં બેન્ડ વાજા સાથે ડાઘુઓને જોઇને તમે પણ વિચારતા હશો કે, ખુશીનો માહોલ છે કે, ગમનો... માટે તમને જણાવી દઈએ કે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા જયાબેન માધુભાઇ પરમાર જાતે સતાવરા (૭૦) નું કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા દરમ્યાન બેન્ડ વાજા વાળા આવીને ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા ત્યારે તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક જયાબેન હયાત હતા ત્યારે તેની છ દીકરીઓ પાસે પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવા માટેની તેમજ તેની દીકરી દ્વારા જ તેને અંતિમ દાહ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી જેથી કરીને માતાને વાજતે ગાજતે છેલ્લી વિદાય આપવામાં આવી હતી અને તેની દીકરીની દીકરી નિધિબેન જગદીશભાઇ પરમાર દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી આમ માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરીઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં શ્રાવણ જેવા દીકરા તો ઠીક પણ દીકરી થાય તેવી આશા રાખવી પણ અતિશયોક્તિ સામન છે પરંતુ માતા-પિતાની ઈચ્છા હયાતીમાં તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવી દીકરીઓ ઘરે ઘરે હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ  નહિ






Latest News