તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીચોક નજીક રિક્ષા ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના ગાંધીચોક નજીક રિક્ષા ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરના શનાળા રોડ ઉપરથી ગાંધી ચોક બાજુ પગપાળા ચાલીને આવી રહેલા વૃદ્ધને અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ગંભીર ઇજા થઈ હતી અને વૃદ્ધને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવ નગરમાં રહેતા વાઘજીભાઈ નાનજીભાઈ ઉચાળા (ઉંમર ૮૦) મોરબીના સનાળા રોડ ઉપરથી ગાંધી ચોક બાજુ પગપાળા ચાલીને આવી રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને વાઘજીભાઈને ઇજાઓ થયો હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વાઘજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે બકરા ચરાવવાની બાબતમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ બાબુભાઈ અઘારીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) અને તેના પત્ની પારુલબેન રાજેશભાઈ અઘારીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News