મોરબીની પીપળીયા ચોકડી ટ્રકની તાલપત્રી કાઢતા નીચે પટકાયેલ યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ
SHARE
મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહેન્દ્રપરા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન હનીફભાઈ મોવર, પાલિકાના મહિલા સભ્ય મમતાબેન ઠાકર તથા રામધન આશ્રમના કથાકાર રતનેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે મહેન્દ્રપરા વિસ્તારના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું ગરબીના સંચાલક ધીરેનભાઈ ઠાકરે જણાવ્યુ છે