મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ


SHARE











વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ

વાંકાનેર તાલુકાનાં ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જીલેશભાઇની આગેવાનીમાં ભારતીય કિસાન સંઘના વાંકાનેર તાલુકાનાં પ્રમુખ વાસુદેવસિંહ આર. ઝાલા અને મંત્રી મનુભાઇ ઝાલા સહિતના ખેડૂતો દ્વારા વીજ કંપનીના કાર્યપાલકને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યુ છે કે, તે ગામની સીમ નજીક ફોરેસ્ટની હદ આવે છે જેથી કરીને દીપડાની રંજાળ બહુ જ હોવાથી ખેડુતને રાત્રીના સમયમાં ખેતર જવાથી દિપડાનો ડર રહે છે અને ખેડુતને જીવનું જોખમ છે જેથી કરીને ફોરેસ્ટ વાળાએ દિપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું જો કે, દીપડો પકડાયો નથી ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરી છે






Latest News