મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના નેશનલ હાઇવે રોડે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના નેશનલ હાઇવે રોડે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત

વાંકાનેર નેશનલ હાઈવે ઉપરથી બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં આવેલ એકટીવા ચાલકે બંધ ટ્રક પાસે તેનું એક્ટિવા ઊભું રાખતા સામેથી આવતા બાઈકની સાથે તેનો અકસ્માત થયો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર થયો હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એકટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા લાધાભાઈ ઉર્ફે લધુભાઇ રત્નાભાઇ સતવાણી જાતે કોળી (૬૦) નો દીકરો રણછોડભાઈ (૩૨) બાઈક નંબર જીજે ૩૬ કે ૧૧૯૫ લઈને વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર મુબીન ઓટોની સામેથી પોતાની સાઇડમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે સામેના ભાગેથી રોંગ સાઈડમાં આવેલ એક્ટિવા નંબર જીજે ૩૬ એચ ૫૨૧૯ ના ચાલકે તેનું વાહન બેફિકરાયથી ચલાવીને બંધ પડેલા ટ્રક પાસે ઊભું રાખતા સામેથી આવી રહેલ રણછોડભાઈના બાઈક સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રણછોડભાઈને માથામાં પાછળના ભાગે તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એકટીવા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામની સીમમાં દેવશીભાઈ વાલજીભાઈ માલકીયાની વાડીએ તેઓના પત્ની મંજુબેન (૫૮) ને હાર્ટ ટેક આવી જતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News