ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત


SHARE







ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાલણપીરની પ્રખ્યાત ધાર્મિક જગ્યા આવેલ છે આ જગ્યાનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેના માટેની માંગ જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવી છે અને હાલમાં રાજ્યના પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રીને તેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેહડમતીયા ગામે સમગ્ર ગુજરાતના સમસ્ત અનુ.જાતિની ધાર્મિક આસ્થાનું પ્રતિક એવા શ્રી પાલણપીર દાદાની સમાધિના સ્થાને મંદિર આવેલ છે અને ત્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન દર્શનાર્થીઓ આવે છે તેમ દર ભાદરવા માહિનામાં વદ નોમદસમ અને અગિયારસનો ત્રણ દિવસીય મેળો યોજાઇ છે જેથી લોકો માટે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી આ ધાર્મિક જગ્યાનો વિકાસ કરવો જરૂરી છે જેથી કરીને પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરીને સરકારની ગ્રાન્ટ આપીને ધાર્મિક જગ્યાનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News