મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા


SHARE











મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા

મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમા 83 વષૅના માજી એકલા ભુલા પડયા હોય રવાપર વિસ્તારમાથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને તેમને મદદની જરૂર છે. 181  અભયમની ટીમને જાણ થતા કાઉન્સિલર જાગૃતિ ભુવા તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન ધલવાણિયા અને પાયલોટ હેદરભાઈ સ્થળ પર પહોંચી કાઉન્સલિગ કરી પરિવાર ની માહિતી મેળવી સુરક્ષિત ઘરે પહોચાડયા હતા.

મોરબીના  એક રવાપર વિસ્તારમા 83 વષૅના માજી અશકત હાલતમા ભુલા પડયા હોવાનો કોલ મળતા મોરબી 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી. મધ્ય રાત્રીના સમયે માજી ઘરેથી નીકળી ગયા હતા અને  માજીની સ્થિતી ખૂબ જ દયાજનક હતી. શરીરે અશક્તિ આવી ગઈ હોવાથી ચાલી શકતા ન હતા. જેથી માજીનુ કાઉન્સેલિગ કરતા તેમણે જણાવ્યું કે તેઓ તેમના દીકરાની વહુના સાથે તકરાર થતા અવાર-નવાર ઘરેથી નીકળી જાય છે. વૃદ્ધાની વાત સાભળી તેમનું સરનામુ પુછતા બરાબર યાદ ન હોવાથી અનેક પ્રયત્નો બાદ વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દીકરાનો સંપર્ક કરી વૃદ્ધાને તેમના ઘરે પહોચાડી તેમના દિકરાની વહુને સોંપવામાં આવ્યા હતાં.

તેમના દિકરાની વહુનુ કાઉન્સેલિગ કરતા જાણવા મળ્યુ હતું કે માજી ઉંમરના કારણે માનસિક અસ્વસ્થ હોવાના કારણે વારંવાર ઘરેથી કોઈને પણ જાણ બહાર નીકળી જાય છે. તેમના દિકરાની દિકરીએ વધુમાં કહ્યુ હતું કે અગાઉ પણ ઘણી વખત માજી ઘરેથી નીકળી ગયા હતાં. આમ 181 ની ટીમ દ્વારા માજીના દિકરાની વહુને જણાવેલ કે તેઓ માજીનુ ધ્યાન રાખે અને સાર-સંભાળ રાખે તો માજી વારંવાર ઘરેથી નીકળી ન જાય તેવી લાબી સમજાવટ આપવામાં આવી હતી અને માજીને સલામત રીતે ઘરે પહોચાડવા બદલ તેના પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો






Latest News