ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ
SHARE








ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ
શ્રાવણ માહિનામાં જન્માષ્ટમી સહિતના તહેવાર આવી રહ્યા છે ત્યારે સાતમ આઠમના તહેવારોમાં મીઠાઈના ભવ વધી જતાં હોય છે જેથી કરીને મીઠાઇ અને ફરસાણના ભાવનું બંધણું કરવાની ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે માંગ કરી છે.
ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ હાલમાં કલેકટરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના અવસર ઉપર લોકો મીઠાઈ અને ફરસાણ ખરીદે છે ત્યારે મીઠાઈ અને ફરસાણના ભાવોમાં કોઈ બાંધણું ન હોવાથી અમુક વેપારીઓ વધુ ભાવ લેતા હોય છે ત્યારે મીઠાઈ સામાન્ય વર્ગના લોકો પણ ખરીદી શકે તે માટે મીઠાઈ અને ફરસાણના ભાવમાં બાંધણું કરવામાં આવે તેવી માંગ કરી છે

