મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તહેવારો પહેલા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવાની માંગ ઉઠી


SHARE











તંત્ર દ્વારા ક્યારેય ચેકીંગ નથી કરાતુંની ઉઠતી ચર્ચા ! કોરોના કાળમાં ભાવ બાંધણું પણ જરૂરી 

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં સાતમ આઠમનાં તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ચેકીંગ કરવા અને કોરોના કાળ વચ્ચે ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવો શહેરીજનોમાંથી સૂર ઉઠવા પામેલ છે.
સાતમ આઠમનાં તહેવારો નજીક છે,લોકો દ્વારા તહેવારમાં મીઠાઈ ફરસાણની ધૂમ ખરીદી કરવામાં આવે છે, ત્યારે ફરસાણનાં વેપારીઓ દ્વારા વાપરવામાં આવતું તેલ, મીઠાઈ બનાવવા માટે વપરાતો માવો સહિત ફરસાણમાં વપરાતી તમામ સામગ્રીનું તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવે તે અનિવાર્ય છે, જો અખાદ્ય - વાસી કે જન આરોગ્ય માટે જોખમી ચીજ વસ્તુઓનો વપરાશ થતો હોય તો તેનો નાશ કરવો જોઈએ, આ ઉપરાંત બે વર્ષ થી કોરોના કાળ ચાલી રહ્યો હોય મીઠાઈ ફરસાણ નું ભાવ બાંધણું પણ કરવામાં આવે તે પણ ખાસ અનિવાર્ય છે, તહેવારો પૂર્વે રાજકોટ, મોરબી જેવા અનેક શહેરોમાં આ પ્રકારની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ વાંકાનેર શહેરમાં લાંબા સમયથી ક્યારેય પણ તંત્ર દ્વારા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યું નથી ! કે ભાવ કોઈ બાંધણું પણ કરવામાં આવતું નથી ! તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.




Latest News