મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તહેવારો પહેલા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવાની માંગ ઉઠી


SHARE













તંત્ર દ્વારા ક્યારેય ચેકીંગ નથી કરાતુંની ઉઠતી ચર્ચા ! કોરોના કાળમાં ભાવ બાંધણું પણ જરૂરી 

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં સાતમ આઠમનાં તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ચેકીંગ કરવા અને કોરોના કાળ વચ્ચે ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવો શહેરીજનોમાંથી સૂર ઉઠવા પામેલ છે.
સાતમ આઠમનાં તહેવારો નજીક છે,લોકો દ્વારા તહેવારમાં મીઠાઈ ફરસાણની ધૂમ ખરીદી કરવામાં આવે છે, ત્યારે ફરસાણનાં વેપારીઓ દ્વારા વાપરવામાં આવતું તેલ, મીઠાઈ બનાવવા માટે વપરાતો માવો સહિત ફરસાણમાં વપરાતી તમામ સામગ્રીનું તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવે તે અનિવાર્ય છે, જો અખાદ્ય - વાસી કે જન આરોગ્ય માટે જોખમી ચીજ વસ્તુઓનો વપરાશ થતો હોય તો તેનો નાશ કરવો જોઈએ, આ ઉપરાંત બે વર્ષ થી કોરોના કાળ ચાલી રહ્યો હોય મીઠાઈ ફરસાણ નું ભાવ બાંધણું પણ કરવામાં આવે તે પણ ખાસ અનિવાર્ય છે, તહેવારો પૂર્વે રાજકોટ, મોરબી જેવા અનેક શહેરોમાં આ પ્રકારની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ વાંકાનેર શહેરમાં લાંબા સમયથી ક્યારેય પણ તંત્ર દ્વારા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યું નથી ! કે ભાવ કોઈ બાંધણું પણ કરવામાં આવતું નથી ! તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.






Latest News