મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર


SHARE













મોરબીના ધારાસભ્યએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શિક્ષકોની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને આ મુદે પત્ર લખવામાં આવ્યો છે અને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા માટે વિનંતી કરી છે

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં તમામ જિલ્લાઓના ૮૦ થી ૯૦ ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું અને આ બાબતે શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા હાલમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સામે મોરબી જિલ્લા સંઘ તરફથી તેઓને રજૂઆતો મળી હોવાથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શાળાના શિક્ષકોની પરીક્ષા લેવા બાબતે પુનઃ વિચારણા કરવા માટે તેમણે વિનંતી કરેલ છે






Latest News